ગરવી ગુજરાતી ભાષાને"ગરીબ ગુજરાતી" ભાષા કહેનારે “શું શાં પૈસાચાર"કહીને ભાષાકારો,અને ગુજરાતી સાહિત્યના શિલ્પીઓને રાંક ગણ્યા છે, ગુજરાતી ભાષા,સુવર્ણ આભુષણથી લદાયેલી નમણી નાર જેવી લચકદાર,અને ઝમકદાર લાગે છે ભાષાના બધાજ રસનું પાન કરાવનારા ગુજરાતી સાહિત્યકારો અનેક છે જેમાં ઝવેરચંદ મેઘાણી,ક્નૈલાલ મુન્શી,વીર નર્મદ,આદ્ય કવિ નરસિંહ મહેતા,નાન્હાલાલ,
સુન્દરમ,આનદશંકર બાપુભાઈ ધ્રુવ,પન્નાલાલ પટેલ,જ્યોતીન્દ્ર દવે,અને આવાતો ઘણા શાક્ષરોએ ભાષા સાહિત્યનું ગૌરવ વધાર્યું છે.
પરંતુ એ બધા માં ગુજરાતી ભાષાને નવો વળાંક આપનાર "ભદ્રમ -ભદ્ર " ના સર્જક રમણલાલ નીલકંઠ વધુ જાણીતા છે બોલવામાં અઘરા, સાંભળવામાં લાંબા,અને સમજવામાં જટિલ શબ્દ પ્રયોગ કરીને ભાષા, અને શબ્દો ને નવો વળાંક આપ્યો . આમ જુવો તો ભદ્ર્મ -ભદ્ર એ "અતિ વિશુદ્ધ ભાષા-કોશ" કહીએ તો તે ખોટું નથી
રેલ્વે સ્ટેશનને "અગ્નિ-રથ વિરામ કેન્દ્ર " ટેલીફોન ને દુર્ભાશ્ય યંત્ર " મોબઈલ ફોનને ચલિત દુર ભાસ્યયંત્ર " જેવા અલંકારિકશબ્દો માત્ર રમણલાલભાઈ જ આપી શકે.
. આજે આ યાદકરવાનું કારણ એ છે કે મારા વિદ્યાર્થી જીવનનો એક પ્રસંગ મને યાદઆવી ગયો .
બન્યું એવું કે વિનયનમાં,સ્નાતકનીપદવી મેળવી વાણિજ્યના સ્નાતકની ઉપાધી મેળવવાની ઉપાધી મેં સામેથી વહોરી.વાણિજ્યના સ્નાતકના અભ્યાસક્રમમાં " વેપારી કાયદો " (Mercantile Law ) નું એક પેપર.
વાર્ષિકપરીક્ષામાં વેપારી કાયદાના પેપરમાં પ્રશ્નનંબર 5 આ પ્રમાણે હતો :
"રેખાંકિત ધનાદેશ એટલે શું ? તેના પ્રકાર વર્ણવો "
આખું વર્ષ મહેનત કર્યા પછી વેપારી કાયદો ગોખી નાખનાર એવામને આ પ્રશ્ન અજાણ્યો લાગ્યો, ઘણી મુંજવણપછી નિરીક્ષક ને ઈશારો કરીબોલાવ્યા, અને પ્રશ્નમાં શું પૂછવામાંગે છે તેઅંગેપૂછ્યું,પણ કમનસીબે નિરીક્ષક વિજ્ઞાનના અનુસ્નાતક હોવાથી,મને સંતોષકારક જવાબ ન આપીશક્યા.ઉલટું તેમણે મનેકહ્યું કે "પર્યાય શબ્દોનો અભ્યાસ કરવો એ પણ પરીક્ષાનો જ એકભાગ છે "
પ્રશ્ન વાંચતા જ હું સમજીગયો કે પેપેરસેટરની કમિટીમાં લો-કોલેજનાપ્રાધ્યાપક શ્રી,પી.ટી.છાયાસાહેબ જરૂર છે. અને આપ્રશ્ન તેનો જ છે.મને ભદ્રમ ભદ્ર યાદ આવી ગયા મેં વિચાર્યું કે જરૂર છાયા સાહેબ રમણલાલ નિલકંઠના શિષ્ય હશે તેને કારણે તેણે અલંકારીક ભાષા અંગીકાર કરી છે.
બધુજ આવડ્યું પણ 15 માર્ક્સના આ પ્રશ્ન ને કેમ છોડી દેવાય? પણ કરવું પણ શું ? જયારે સવાલ જ ન સમજાય તો કાયદાનાપેપરમાં ગપ્પા થોડા મરાય ?અંતે પ્રશ્ન છોડીદેવાનું વિચારી હું ઉભો થયો ઉત્તરવહી
સુન્દરમ,આનદશંકર બાપુભાઈ ધ્રુવ,પન્નાલાલ પટેલ,જ્યોતીન્દ્ર દવે,અને આવાતો ઘણા શાક્ષરોએ ભાષા સાહિત્યનું ગૌરવ વધાર્યું છે.
પરંતુ એ બધા માં ગુજરાતી ભાષાને નવો વળાંક આપનાર "ભદ્રમ -ભદ્ર " ના સર્જક રમણલાલ નીલકંઠ વધુ જાણીતા છે બોલવામાં અઘરા, સાંભળવામાં લાંબા,અને સમજવામાં જટિલ શબ્દ પ્રયોગ કરીને ભાષા, અને શબ્દો ને નવો વળાંક આપ્યો . આમ જુવો તો ભદ્ર્મ -ભદ્ર એ "અતિ વિશુદ્ધ ભાષા-કોશ" કહીએ તો તે ખોટું નથી
રેલ્વે સ્ટેશનને "અગ્નિ-રથ વિરામ કેન્દ્ર " ટેલીફોન ને દુર્ભાશ્ય યંત્ર " મોબઈલ ફોનને ચલિત દુર ભાસ્યયંત્ર " જેવા અલંકારિકશબ્દો માત્ર રમણલાલભાઈ જ આપી શકે.
. આજે આ યાદકરવાનું કારણ એ છે કે મારા વિદ્યાર્થી જીવનનો એક પ્રસંગ મને યાદઆવી ગયો .
બન્યું એવું કે વિનયનમાં,સ્નાતકનીપદવી મેળવી વાણિજ્યના સ્નાતકની ઉપાધી મેળવવાની ઉપાધી મેં સામેથી વહોરી.વાણિજ્યના સ્નાતકના અભ્યાસક્રમમાં " વેપારી કાયદો " (Mercantile Law ) નું એક પેપર.
વાર્ષિકપરીક્ષામાં વેપારી કાયદાના પેપરમાં પ્રશ્નનંબર 5 આ પ્રમાણે હતો :
"રેખાંકિત ધનાદેશ એટલે શું ? તેના પ્રકાર વર્ણવો "
આખું વર્ષ મહેનત કર્યા પછી વેપારી કાયદો ગોખી નાખનાર એવામને આ પ્રશ્ન અજાણ્યો લાગ્યો, ઘણી મુંજવણપછી નિરીક્ષક ને ઈશારો કરીબોલાવ્યા, અને પ્રશ્નમાં શું પૂછવામાંગે છે તેઅંગેપૂછ્યું,પણ કમનસીબે નિરીક્ષક વિજ્ઞાનના અનુસ્નાતક હોવાથી,મને સંતોષકારક જવાબ ન આપીશક્યા.ઉલટું તેમણે મનેકહ્યું કે "પર્યાય શબ્દોનો અભ્યાસ કરવો એ પણ પરીક્ષાનો જ એકભાગ છે "
પ્રશ્ન વાંચતા જ હું સમજીગયો કે પેપેરસેટરની કમિટીમાં લો-કોલેજનાપ્રાધ્યાપક શ્રી,પી.ટી.છાયાસાહેબ જરૂર છે. અને આપ્રશ્ન તેનો જ છે.મને ભદ્રમ ભદ્ર યાદ આવી ગયા મેં વિચાર્યું કે જરૂર છાયા સાહેબ રમણલાલ નિલકંઠના શિષ્ય હશે તેને કારણે તેણે અલંકારીક ભાષા અંગીકાર કરી છે.
બધુજ આવડ્યું પણ 15 માર્ક્સના આ પ્રશ્ન ને કેમ છોડી દેવાય? પણ કરવું પણ શું ? જયારે સવાલ જ ન સમજાય તો કાયદાનાપેપરમાં ગપ્પા થોડા મરાય ?અંતે પ્રશ્ન છોડીદેવાનું વિચારી હું ઉભો થયો ઉત્તરવહી
બંધ કરીને નિરીક્ષકના મેજ સુધી પહોચતા મેં પ્રશ્ન પત્રને ખિસ્સામાં મુકવા ઘડીવાળી,તેવામાં મારું ધ્યાન પ્રશ્નપત્રના પાછળના ભાગે છપાયેલ ઈંગ્લીશ version ઉપરપડ્યું ઈંગ્લીશ version ના પાંચમોપ્રશ્ન વાંચતા તેમાં લખ્યુંહતું કે :-"What Is Cross Cheque? Describe the Type of Crossing?
વાંચતાજ હું હરખાયો અને ફરીપાછું આસન ગ્રહણ કરી, ઉત્તરવહીખોલી, મેં પૂરો અને સાચો જવાબલખ્યો
આમ "રેખાંકિત ધનાદેશ "એટલે “Cross Cheqe” એ મને પહેલી વાર ખબરપડી.
અલંકારિક ભાષાનીઝમક ક્યારેક આમ ભારેપડે છે .
વાંચતાજ હું હરખાયો અને ફરીપાછું આસન ગ્રહણ કરી, ઉત્તરવહીખોલી, મેં પૂરો અને સાચો જવાબલખ્યો
આમ "રેખાંકિત ધનાદેશ "એટલે “Cross Cheqe” એ મને પહેલી વાર ખબરપડી.
અલંકારિક ભાષાનીઝમક ક્યારેક આમ ભારેપડે છે .


