Saturday, 18 January 2014

"ન ચિટ્ઠી,ન કોઈસંદેશ,ન જાને વો કોનસા દેશ, જહાં તુમ ચલેગયે "

સ્વ,અમોલ દિવાકર (હરેન્દ્ર ) ખારોડ,
  (4,April,1963---16,Janu.2014)

રાજકોટ વસતા અને મૂળ જુનાગઢ નાવતની શ્રી દિવાકર ખારોડ,તથા અ,સોં,અનીલાબેન ખારોડના
જ્યેષ્ઠપુત્ર,અને જાણીતા ફેસબુકના માનીતાએવા આશિષ ખારોડના મોટાભાઈ,શ્રી,અમોલ ખારોડનું અમેરિકા ખાતે 51 વર્ષ ની ઉમરે, તારીખ 16, જાન્યુ,2014.ના રોજ નિધન થયાના સમાચારે ગમગીન કરી મુક્યો (ચી,અમોલ ખારોડ મારો ભાણેજ થાય )
મધ્યમવર્ગીય શિક્ષકદંપતીને ઘેર જન્મ લે તેના સંસ્કારમાં શું ખામી હોય ? જુનાગઢ માં જન્મ્યો, પણ શાળાકીય વિદ્યાભ્યાસ વેરાવળ જેવા નાનાગામની સરકારી હાઇસ્કુલમાં જ કર્યો.
વેરાવળની હાઈસ્કૂલમાંથી મેટ્રિકપાસ કરીને મોરબીની એલ.ઈ.કોલેજમાંથી પ્રોડક્શન એન્જીનીયર બન્યાપછી થોડો સમય મુંબઈમાં ગોદરેજ જેવી નામી કંપનીમાં સેવા આપ્યા બાદ તે સારીતક મળતા અમેરિકા ગયા અને ત્યાજ સ્થિર થઇ "ધોળિયાના મુલક" માં પોતાની કાર્યદક્ષતાથી અતિ પ્રિય થઇ પડ્યા. સંખ્યાબંધ ધોળિયા એન્જીનીયરો  તેમના હાથ નીચે તૈયાર થયા.
51,વર્ષ ની ભર યુવાનવયે તેના પરલોકગમનથી સમાજમાં અરેરાટી પ્રસરીગઈછે
તેમના 84 વર્ષીય પિતા, અને 78 વર્ષ ના માતા,અને પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું છે.
            " જે ઉગ્યું તે આથમે, ફૂલ્યું તે કરમાય,
              તેહ નિયમ અવિનાશનો, જે જાયું તે જાય "
સત્ય,પણ કડવું અને વાસ્તવિકતા જીરવવી અઘરી એવી આ ફિલોસોફી ભલે 100પ્રતિશત સત્ય હોય,પણ
"ભર વસંતે પાનખર? "મધ્યાન્હે સુર્યાસ્ત ?" આ તે કેવો,અને ક્યાંનો ન્યાય ?કુદરતની ક્રુરતા,અને નિષ્ઠુરતા  આથી બીજી કઈ હોઈ શકે ? કહેવાય છે કે "બાપનું ઢાંકણ બેટડો " લ્યો, આ ઢાંકણ ચાલ્યું ગયું અને 78વર્ષીય બાપ ઉઘાડો થઇ ગયો.
સ્વ. અમોલ, કુશાગ્ર બુદ્ધિ ધરાવનાર,તેજસ્વી વિદ્યાર્થી,આજ્ઞાંકિતપુત્ર,વફાદારઅને જવાબદારી સમજતો સારો પતિ,વ્હાલસોયો પિતા,ઉત્કૃષ્ઠ ભાવનાશાળી બાંધવ, અતિ વિનમ્ર,હસમુખો,મિતભાષી,ધર્મિષ્ઠ,કુટુંબ વત્સલ,
અને અજાત શત્રુ હતો,
ખરેખર "અમુલ નામને સાર્થક કરતો તેજસ્વી તારલો આજે પરિવારના નભોમંડળમાંથી ખરીપડી અનંતમાં વિલાઈ ગયો તેનું પારાવાર દુખ છે 

"  ન ચિટ્ઠી,ન કોઈ સંદેશ,ન જાને વો કોનસે દેશ કહાં તુમ ચલેગયે " 
 સ્વ,અમુલ પોતાની પાછળ એક યુવાન અને તેજસ્વી ડાયેટીશ્યન પત્ની,એક 16 વર્ષીય વહાલસોઈપુત્રી,વૃદ્ધ માતાપિતા,અને ભાઈ-બહેનને કલ્પાંત કરતામૂકી અનંતની વાટ પકડી ગયો છે.
જેને મેં મારીનજર સામે ઉછરીને મોટો થતા જોયો તે આજ નજરથીદુર ખોટો થઇ ગયો... અર્ધાસૈકાથી જે નામનીઆગળ હું  ચિ.(ચિરંજીવી) લખતો હતો,તે નામ આગળ આજે સ્વ.શબ્દ મુકતા હાથ કંપે છે.જેને મામા તરીકે યજ્ઞોપવિત સંસ્કાર  સમયે ખભ્ભે બેસાર્યો, એને અંતિમસંસ્કાર સમયે ખભ્ભો પણ ન આપી શક્યો, 
અરે ! તેના અંતિમ દર્શન થી પણ વંચિત રહ્યો 
  "આંસુ ખૂટ્યા છે, હું શું રડું ?" 
    શબ્દો ખૂટ્યા છે, હું શું લખું? "
   સ્વ.અમુલના આત્માને ઈશ્વર પરમ શાંતિ આપે અને પત્ની,પુત્રી,તથા,પરિવારને આ વજ્ર કુઠારાઘાત જીરવવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના !
અસ્તુ .! ! !           

 

Tuesday, 24 December 2013

"આરસની તકતી"



11, જાન્યુ, 2002,
સાંજના,પાંચ-છવાગ્યાનો આશરો.ઘરનાદરવાજે કોલબેલ રણકી,દરવાજો ખોલતા એક જાડાકાચના ચશ્માંધારી આછાકેસરી ખાદીનાઝભા,સફેદપાયજામાં,ખભે ખાદીનો બગલ થેલાસાથે,ત્રણ અન્ય વ્યક્તિસાથે દરવાજે ઉભા હતા
તે ત્રણ પૈકી એક મારો જુનોમિત્ર પણ હતો.
મીઠા આવકારસાથે હું તેને મારા દીવાનખંડતરફ દોરીગયો.
મારા મિત્ર સિવાય હું બાકીનાને ઓળખતો નહતો,
પરિચયવિધિપછી કામઅંગે મેંપૂછ્યું
ખાદીધારી સજ્જને વાતનો દોર શરુ કરતાકહ્યુંકે,"આપ બેંકમાંથી V.R.S.લઈને વતનમાં સ્થિરથયા છો,
 તેવું આ તમારા મિત્રએ મને વાત કરતા આપને મળવાઆવ્યો છું,
મળવાનું ખાસપ્રયોજન એ છેકે મારી જાણ મુજબ આપ વિવિધ, ધાર્મિક,કે,સામાજિકસંસ્થાને અનુદાનઆપો છો, તેથી એવીજ એક સેવાભાવી સંસ્થામાટે દાન મેળવવાની અપેક્ષાસાથે અહીંઆવ્યો છું
હું ઘડીભર વિચારમાંપડીગયો, કે મેં કોઈ જગ્યાએ એવું મોટું દાન કર્યું ન હોવા છતાં આવી માહિતી તેમની પાસે કેવી રીતે,અને ક્યાંથી આવી? ( ખેદાન મેદાન ઘણા કર્યા હશે પણ મેં દાન કદી કર્યા હોય તેવું યાદ નથી)
મેં જવાબ આપ્યો કે,સાચું, પણ આપની માહિતી ખોટી છે, સામાન્ય રીતે હું દાન દેવા જેવી પ્રવૃતિમાં હમેશા પાછળ છું,અને નોંધપાત્ર દાન દેવા જેવી સક્ષમ આર્થિકસ્થિતિ પણ હું ધરાવતો નથી.મને લાગેછે કે આપને કોઈએ ગેરમાર્ગે દોર્યાછે."
સજ્જને જવાબઆપ્યો કે"મેં પોતે વડનગરના હાટકેશમંદિરની"દાનાવલીમાં આપનું નામ વાંચ્યું છે, તે ઉપરાંત અહીંની(જૂનાગઢની)હાટકેશહોસ્પિટલના પ્રવેશદ્વારપાસે જે દાનવીરોની આરસતકતી છે તેમાંપણ આપના નામ સાથે મોટી રકમ વાંચી છે.મને કોઈએ ગેરમાર્ગેદોર્યો નથી,”
"ઓહો,? આપે અહીની હાટકેશહોસ્પિટલમાં પણ મારુંનામ વાંચ્યુંછે ?"મેં ઇન્તેજારીથી પુછ્યું 
કેટલીરકમ સાથે શું નામ લખ્યું છે, "?
સજ્જનેજણાવ્યું કે"રૂ.51000/ વ્યોમેશ ઝાલાતરફથી,:હસ્તે મીનાક્ષીબેનબુચ
સજ્જને આગળવધાર્યું"મને ખબરછે કે ડો.મીનાક્ષીબેન આપના સ્વસુરપક્ષે સગા થાય છે.અને તેથી તે રકમ આપ બહાર હોવા સબબ કદાચ તેમની દ્વારા મોકલી હશે "
થોડીવાર વિચાર કર્યા બાદમને ઓચિંતું યાદઆવતા મે કહ્યુંઆપ સાવ સાચા છોતેવીરીતે,હું પણ ખોટો નથી. ,
આપેવાંચ્યું તેસાચું જ છે,પણ તે દાતા વ્યોમેશ ઝાલા,હું નહી "
"જેમ,ડો.મીનાક્ષીબેન મારા સ્વસુરપક્ષે સગા થાયછે,તેમ હાલ લંડનવસતા,અને મૂળપોરબંદરના વ્યોમેશ ઝાલા પણ મીનાક્ષીબેનના મોસાળપક્ષે સગા થાય છે,તેથી તેદાનવીર હું નહી,પણ લંડન વસતા,મારા નામેરી વ્યોમેશ ઝાલા હોઈશકે,તેમ છતાં ખાતરી કરવા આપ ડો.મીનાક્ષીબેનનો ફોનઉપર સમ્પર્ક સાધી લેજો "
તેવીજ રીતે વડનગરના હાટકેશમંદિરમાં પણ દાતા તરીકે મેં પણ તેનું નામ વાચ્યું છે તે સાચું છે "
સજ્જનની ગેરસમજ સ્વીકારતા તેઓએ કહ્યું, અરે,એમછે? મનેતો એમકે તે વ્યોમેશ ઝાલા આપ હશો"આપની વાતસાચી છે કે તે બાબતે મારી માહિતીની મારે,ખાતરી કરી લેવી જોઈતી હતી "
મેં કહ્યું, કોઈ વાંધો નહી,આવી ગેરસમજ સમાનનામને કારણે બનીપણ શકે,અને એક વ્યોમેશ 
લંડનમાંપણ વસતાહશે તેવો ખ્યાલતો તમને હોયજ નહી ને ?"
સાચું પુછોતો આવી ગેરસમજ ન ઉદભવે, તેકારણે પણ હું "દાનવીરોની યાદીમાં મારું નામ લખાય " કે તકતી મુકાય "તે વાતનો હું સૈધાંતિક વિરોધી છું.જે પણ કાઈ સ્થિતિ,સંજોગ પ્રમાણે,કરીએ તેની વળી જાહેરાત કે"તકતી"શું? શેક્સપિયરે કહ્યુંછે તે સાચુંજ છે કે"નામમાં વળી શું છે "?
ભામાશાએ રાણા પ્રતાપ માટે ધનકુબેર ભેટ આપ્યો હતો,પણ ભામાશાએ તેની કોઈ જાહેરાત કરી હોય તેવું મારા ધ્યાનમાં નથી, વિશ્વનીસાતઅજાયબી પૈકીની એક, તાજમહાલની ભવ્ય ભેટ શાહજહાંએ ભારત વર્ષને આપી, અબજો રૂપિયા ખર્ચીને બનાવેલ, બેનમુન ઈમારતમાં ક્યાય શાહજહાએપોતે પોતાના નામની તકતી મુકી હોય તેવું પણ મારા ધ્યાનમાં નથી.દાન,કે ભેટની વળી જાહેરાત શું?વળીઆપણે,કોઈ નાનજી કાળીદાસ,કે દીપચંદગાર્ડી જેવા દાનવીરતો નથીજ ?
નામ,દેહનીજેમ ક્ષણભંગુરછે, “નામ છે તેનો નાશ છે,” જોએ સાચું હોયતો નાશ છે તેનું નામ કેમ હોઈ શકેગમે તેવો દાનવીર હશે,પણ તેમના અવસાન પછી તેની સ્મશાનયાત્રા"ન-નામી"માં ફેરવાયજાય છે, દેહની સાથે નામનું પણ મ્રત્યુ થઇ જાયછે.
સોના-ચાંદીના સિંહાસનપર બિરાજનાર,હાથીની પાલખીમાં બેસનારા,અને,સુખડના પલંગપર, સુંવાળામખમલી બિસ્તર પર સોનારા,મ્રત્યુપછી વાંસના બામ્બુની સીડીમાં બંધાઈને,કે કોફીનમાં બંધ થઇ જઈને,નનામી સ્વરૂપે નીકળી,લાકડાના ભારણ તળે,કાષ્ટશૈયામાં પોઢી,પંચમહાભૂતમાં વિલીન થઇ જાયછે,ત્યારબાદપણ"દીવાલપરની આરસનીતકતી પર અમર થઇ જવાનો મિથ્યાપ્રયાસ છે.   
દેહદાન એ સૌથી મોટું,અને અમુલ્ય દાન ગણાય છે.તેમ છતાં દેહદાન કરનારાઓના મૃતશરીર, 
કે જે ત્યાંદવાખાનાના કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવે છે તે પણ નંબરથી ઓળખાય છે, 
મૃતશરીર પોતાના નામથી ઓળખાતું નથી.આવા દેહદાનની તકતી ક્યાં મુકશો ?.
અલબત્ત આ બધુ વ્યક્તિગત વિચારધારાપર આધારિત છે"જૈસી જિસકી સોચ "

   

Wednesday, 18 December 2013

બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ.

Bahauddin College, Junagadh.
જુનાગઢની બહાઉદ્દીનકોલેજ સૌરાષ્ટ્રની બીજી સૌથીમોટી,અને જૂની કોલેજ તરીકે જાણીતી છે, જે ઈ,સ. 1900 માં સ્થપાયેલી
આ કોલેજ ત્રણ યુનિવર્સીટી જોઈચુકેલી છે કોલેજ ની શરૂવાત થઇ ત્યારથી બૃહદ મુંબઈ રાજ્ય દરમિયાન તે મુંબઈ યુનિવર્સીટીસાથે જોડાયેલી,ત્યારબાદ ગુજરાત જયારે મુંબઈ રાજ્યથી છુટું પડ્યું, ત્યારથી તે ગુજરાત યુનિવર્સીટી સાથે સલગ્ન થઈ અને હાલ લગભગ 1964/1965,થી તે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સાથે જોડાયેલી છે
113 વર્ષના જીવનકાળ દરમ્યાન આ કોલેજ ના અનેક રૂપરંગ બદલાયા,પહેલા આર્ટસ, અને સાયન્સ એમ બન્ને વિભાગો એકજ કોલેજ ના નામ નીચે આવતા (બહાઉદ્દીન કોલેજ ) સમય જતા બન્નેવિભાગો,  બિલ્ડીંગો,તેમજ વહીવટી વ્યવસ્થા અલગ થયા, પણ હવે તે બહાઉદ્દીન આર્ટસ, એન્ડ સાયન્સ કોલેજ તરીકે જાણીતી થઈ સારાસારા, વિદ્વાન પ્રાધ્યાપકો આ કોલેજ માં પોતાના જ્ઞાન નો લાભ આપી ગયા, તેવીજ રીતે આ કોલેજે અનેક રત્નો ની સમાજ ને ભેટ આપી છે.
એક જમાનો હતો જયારે કોલેજ ના પ્રિન્સીપાલ થી માંડી ને સમગ્ર સ્ટાફ કોલેજ ના,તથા વિદ્યાર્થીઓના હિત ની પ્રવૃત્તિ કરવામાં હમેશા આગળ હતા, સંસ્કૃતિક,અને રમતગમત ની સ્પર્ધા ક્ષેત્રે ગુજરાત યુનીવર્સીટીમાં બહાઉદ્દીન કોલેજ આંતર યુનીવર્સીટી સ્પર્ધાઓમાં, કે આંતર કોલેજ સ્પર્ધામાં હમેશા મોખરે રહેતું હતું
મને બરાબર યાદ છે કે એક સમયે આ કોલેજમાં વર્ષ દરમિયાન ત્રણ વકતૃત્વ સ્પર્ધાઓ યોજાતી
1, સ્વ. પ્રોફે, ગુણવંત જોશી ગુજરાતી વકતૃત્વસ્પર્ધા, કે જેમાં જુનાગઢ ની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, તથા કોલેજો ને આવરી લેવાતી 
2, પ્રોફે, આર.ડી. જોષી અંગ્રેજી વકતૃત્વ સ્પર્ધા,
3, સ્વ, રમેશ વોરા હિન્દી વકતૃત્વ સ્પર્ધા
તાજેતરમાં સાયન્સ વિભાગમાંથી નિવૃત પ્રાધ્યાપક સાથે વાત કરતા જાણવા મળ્યું કે આજે આ ત્રણેય વકતૃત્વ સ્પર્ધા ઘણા સમય થી બંધ થઇ ગઈ છે એટલુજ નહી પણ તેજ કોલેજમાં ભણેલ,અને આ સ્પર્ધાઓમાં વિજેતા નીવડેલ તે પ્રાધ્યાપકે વલોવાતા હૃદયે કહ્યું કે સાંભળી નેજીવ બળે કે તે સ્પર્ધાના વિજેતાઓને આપતા શિલ્ડો પણ કોલેજ માંથી ચોરાઈ ગયા છે,નથી થતા હવે તેસમય જેવા મુશાયર,કવિ -સમ્મેલનો, ડીબેટ,રાસોત્સવ,પ્રવાસ-પર્યટનો, વાર્ષિક પ્રોગ્રામો, કે ફીશ પોન્ડ્સ, તેવી યાદગાર ટુર્નામેન્ટો,વ્યાખ્યાન માળાઓ બધું અત્તિતમાં ધરબાઈ ગયું    
મને એ પણ યાદ છે કે આ કોલેજ એકસમયે વિવિધ રમતગમત અને સંસ્કૃતિક ક્ષેત્રે અગ્રક્રમે રહીને, આંતર કોલેજ, કે આંતર યુનીવર્સીટીમાં વિજેતા નીવડી અસંખ્ય શિલ્ડો પ્રિન્સીપાલની કચેરીમાં શોભાયમાન હતા
આ કોલેજ ના વિદ્યાર્થી સ્વ, વિરેન્દ્ર વસાવડા, વોલીબોલની આંતર યુનીવર્સીટી સ્પર્ધામાં ખાસ વોલીબોલ ની "સર્વીસ " ના નિષ્ણાત હોય , ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલી આંતર યુનીવર્સીટી સ્પર્ધામાં ગુજ, યુની, નું પ્રતિનિધિત્વ કરેલું , તેવીજ રીતે ગુજ,યુની,મહાદેવદેસાઈઆંતર કોલેજ ગુજરાતી,અને મહાત્મા ગાંધી ટ્રોફી (ઈંગ્લીશ) વકતૃત્વ સ્પર્ધામાં સ્વ,પ્રફુલ્લ વૈષ્ણવ,અને સ્વ,રમેશ ઝાલા એ બહેતરીમ પ્રદર્શન કર્યું હતું ક્રિકેટ,માં પણ બુચ બ્રધર્સ,(જગુ-ધીરુ)સ્વ,નરેશ મહેતા,વીરેન્દ્ર જે  વસાવડા, ધનુ બુચ,અવિનાશ બુચ, હર્ષદ મહેતા, જેવા ધુરંધર ખેલાડીઓ નું અમુલ્ય યોગદાન રહ્યું છે ટેનીસ, અને બેડમિન્ટન માં સ્વ, પરિમલ માંકડ, માનસત્તા,વી.ડી. વસાવડા ઉપરાંતઅનેક જુના જોગીઓએ પોતાના હીર ઝળકાવ્યા છે.
અવિનાશ રાણા,અજય રાણા, અજીત સાવંત, સ્વ. ચંદુ સાવંત, સ્વ, મહેશ વસાવડા,એથ્લેટ સ્વ, વિનુશાહ જેવા અનેક રમતવીરો આ કોલેજે આપ્યા છે
શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કારકિર્દી જોઈએ તો ઇતિહાસકાર સ્વ,શંભુપ્રસાદ દેસાઈ, સ્વ,રતિલાલ માંકડ ,સ્વ, કુસુમરાય દિવાન,સ્વ. પ્રફુલ્લ વૈષ્ણવ,શ્રી વિનાયકભાઇ બુચ,સ્વ, બી,ડી, દત્તા, તથા વરસાણી જેવા I.A.S  અધિકારીઓ અને કલેકટરોની સમાજ ને ભેટ આપી છે,
સૈન્ય, અને મીલીટરી ક્ષેત્રે કિરીટ જોશીપુરા,ઉમાકાંત ભટ્ટ,ડો,કમલેશઝાલા,પણ આજ કોલેજના વિદ્યાર્થીઓ રહી ચુક્યા છે.
સાહિત્ય ક્ષેત્રે પ્રફુલ નાણાવટી,સ્વ.મનોજ ખંડેરિયા,રાજેન્દ્ર શુક્લા,સુરેન ઠાકર "મેહૂલ "ડો, ઉર્વિશ વસાવડા, શ્રી વીરુ પુરોહિત જેવા ઘણા તેજસ્વી કલમ સ્વામીઓ આ કોલેજની ઉપજ છે મારી જાણ મુજબ ગુજરાતી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર "ધૂમકેતુ"પણ આજ કોલેજના વિદ્યાર્થી રહીચુક્યા છે 
જુનાગઢ સાહિત્ય,સંગીત અને કલાના ઉપાસકો નું કેન્દ્ર છે  શાસ્ત્રીય,અને હવેલીસંગીત ના બેતાજ બાદશાહ, હરિકાન્ત સેવક,હિમાંશુ છાયા,અને પુષ્પા છાયા આ કોલેજ ના મધ્યસ્થ હોલની દીવાલે,હજુ ગુંજતાહશે 
 આ કોલેજે સંખ્યાબંધ તબીબો બહાર પાડ્યા છે વાઢકાપના નિષ્ણાતોમાં ડો, જે,ડી,પટેલ(મૂળ કોલકી)
ડો. પીપલિયા,ડો.ભુપેન્દ્ર વોરા,અને ડો, સુનીલ અવાશિયાએ નાની વયે મોટું નામ હાસલ કર્યા નો યશ આજ કોલેજને  ફાળે જાય છે
શિક્ષકો,પ્રાધ્યાપકો, વહીવટી અધિકારીઓ,ડોકટરો,અને એન્જીનયરોની જો યાદી કરવા બેસીએ તો વર્ષો નીકળી જાય તેટલી સંખ્યામાં બહુ રત્નો આ કોલેજની સોગાત છે
રાજકારણ અને વકીલાતને ક્ષેત્રે, રાજ્યના ભૂતપૂર્વ કાનુન મંત્રી સ્વ.દીવ્યકાન્તભાઈ નાણાવટી, રાજ્યસભાના સભ્ય, સ્વ, સૂર્યકાંત આચાર્ય,ભૂતપૂર્વ એમ,પી, નાનજીભાઈ વેકરિયા, ધારાસભ્યો ગોરધનભાઈ વસોયા(પટેલ,) મહેન્દ્ર મશરૂ, નીડર પત્રકાર વિફ્રમ કિશોર બુચ એ બધા આજ કોલેજનો ફાલ હતા,સ્વ,પ્રફુલ્લ વૈષ્ણવ,સ્વ,રમેશઝાલા, લલિત વસાવડા,અને મહાવીરવસાવડા,સ્વ.સુરેશ વૈષ્ણવ,હરિકાન્ત જ. નાણાવટી   જેવા તેજાબી વક્તાઓ આ કોલેજની દેન છે તેમને સાંભળવા કોલેજનો મધ્યસ્થખંડ ચિક્કાર ભરાઈ જતો,જેનો હું શાક્ષી છું.
નાટ્યક્ષેત્રે વિપિન કીકાણી,ઉમાકાન્ત ભટ્ટ,રૂપા ઓઝા,ઈશ્વર તેલી,નરેશ ફીટર ઉપરાંત પણ અનેક કલારત્નો અહીં જ પાક્યા છે   
ગુજરાત હાઈ કોર્ટના ન્યાયમૂર્તિતરીકે ફરજ બજાવીચૂકેલ અને હાલના ગુજરાત રાજ્યનાલોકાયુક્ત  તરીકે નિયુક્તિ પામેલ શ્રી દિનેશભાઈ બુચ તો 1963 ના જ(મારીજ ) બેચ ના વિદ્યાર્થી તરીકે આ જ  કોલેજમાંઅભ્યાસ  કરી ચુક્યા છે રાજ્યના અતિ મહત્વના,અને ટોચના પદ ઉપર "બહાઉદ્દીન્યન" એ શું કોલેજ માટે ઓછું ગૌરવ  છે ?
અત્રે આપેલી યાદી ઉપરાંત પણ અનેક નામી અનામી પ્રતિભાઓએ  પોતાના ક્ષેત્રમાં બહાઉદ્દીન કોલેજનું નામ રોશન કર્યું છે જેની યાદી કરવા બેસીએ તો કદાચ વર્ષો વીતી જાય  
પણ,,,,, ખેદની વાતછે કે વર્તમાન કે ભૂતકાળમાં  કોલેજના કોઈ પ્રિન્સીપાલે આવા બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા, પ્રતિભાસમ્પન્ન વ્યક્તિઓ પૈકી કોઈ એકનેપણ નિમંત્રણ આપી બહુમાન કર્યું હોય, તેવું જાણવા મળ્યું નથી કોલેજ નું ગૌરવ શું હતું, અને તે  કોણ છે, તેનો પરિચય વર્તમાન વિદ્યાર્થીઓને કરાવવાથી એક નુતન પ્રેરણા નો સંચાર થાય છે
વર્ષોથી આ કોલેજ પોતાનો વાર્ષિક ઉત્સવ ઉજવે છે આ પ્રસંગે વર્તમાન પેઢીને પ્રેરણા મળે, અને શીખવા મળે, કે જાણવા મળે તે હેતુ થી "વ્યાખ્યાન માળા " યોજી ક્રમશ;આવા વિરલાઓમાંથી કોઈને
ખાસ નિમંત્રણપાઠવી તેમનું સન્માન કરવું જોઈએ તે સન્માન તે વ્યક્તિ નું નથી, તે સન્માન કોલેજ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીનું છે, અને તેમાં કોલેજનું જ ગૌરવ  છે ને  ?

 

Saturday, 23 November 2013

ગુરૂ વંદના ....2

Prof. P.B. Zala.
પ્રો, પ્રફુલ્લભાઈ બી, ઝાલા, M.A. (1930 -- 2009)

" गुरु गोविन्द दोनों खड़े,किसको लागु पाई

  बलिहारी गुरुदेवकि,जिन्हे गोविन्द दिखाई "


ગતવર્ષે આજના દિને ગુરૂવંદનામા જેમનીપાસે વિદ્યાભ્યાસની શરૂવાતકરી હતી, અને એકડો શીખ્યો હતો તેવા ગુરુવર્ય સ્વ, લાધાભાઇ માસ્તર ને સ્મરણાજલી અર્પી હતી, તો આવર્ષે જેમની પાસે વિદ્યાભ્યાસ પૂરો કર્યો અને જેણે મને એક કાચાપત્થર માંથી Polished કરી,સ્ફાટીકના પાંચીકાજેવો બનાવી,સામાજિક જીવન જીવવા કાબેલ બનાવ્યો તેવા સંવેદનશીલ, ઋજુ હૃદયી, અને પ્રેમાળ શિક્ષક ને આજે મારા 71માં જન્મદિને હૃદયાંજલિ અર્પું છું.અને તે છે પ્રોફે. પ્રફુલ્લભાઈ ઝાલા 

  સ્વ, પ્રફુલ્લભાઈ ભગવાનલાલ ઝાલા,(1930-2009) ગોંડલના વતની.

  20/10/30, ના રોજ જન્મેલ સ્વ, પ્રફુલ્લભાઈએ પોતાની શાળાકીય કારકિર્દી ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કૂલખાતે પૂરી કરી ભાવનગરની શામળદાસ કોલેજમાંથી 1952 મા સ્નાતકની ઉપાધી મેળવી, મધ્યમવર્ગીય પરિવારમાં જન્મી, ઉછરેલા પ્રફુલ્લભાઈએ Earning & Learning ના ધ્યેય સાથે ભાવનગરની લોકપ્રિય, અને આદર્શ ગણાતી એવી ઘરશાળાસ્કૂલ માં શિક્ષકની નોકરી સ્વીકારી પોતાનો અનુ-સ્નાતકનો અભ્યાસ ચાલુ રાખ્યો અને તે રીતે 1952 થી,1955 એમ ત્રણવર્ષ તેણે તે નોકરી કરી અને MA ની ડીગ્રી મેળવ્યા પછી 1957, માં ભાવનગરની શામળદાસ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે નિમાયા જે કોલેજમાં તેઓ ભણ્યા, તેજ કોલેજમાં તે ભણાવતા, તેમને ઘણો ગર્વ હતો .
  બહુજ ટૂંકા ગાળામાં એટલેકે 1959/1960, માં તેમની બદલી જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાં પ્રાધ્યાપક તરીકે બઢતી સાથે બદલી થતા તેઓ જુનાગઢ આવી સ્થિર થયા.
 જુનાગઢનું તેનું પહેલું રહેઠાણ સ્વ,મુ, દિવ્યકાંતભાઈ નાણાવટીનું મકાન હતું વર્ષોસુધી તેઓ ત્યાં રહ્યા સાદગી, સરળતા, અને નિરાડમ્બર,એ ઝાલાસાહેબની પ્રકૃતિ હતી
 ગાંધીવાદી વિચારસરણીને વરેલા, ઝાલાસાહેબ ચુસ્ત ખાદીધારી હતા, તે તેમના જીવનકાળસુધી રહ્યા .ડો, બીપીનઝવેરી,ડો, રમેશબેટાઈ,પ્રો પ્રભુ દેસાઈ સાહેબ, કે પ્રો.પી,સી,શાહ સાહેબ રોજ રંગબેરંગી ટાઈ , અને
  સુટ સાથે કોલેજે આવતા પ્રધ્યાપકો વચ્ચે સફેદ ખાદીના ઝબ્ભા-પાઈજામા ઉપર ભૂરા રંગના જાકીટમાં સજ્જ થયેલ ઝાલાસાહેબ વિનમ્રતા,અને નિરભિમાની ની છાપ અંકિત કરતું વ્યક્તિત્વ હતાપોતાના સફેદ વસ્ત્રોમાં પારિજાતના ફૂલની જેમ નીખરી આવતા હતા તેમના વસ્ત્રોની સફેદાઈ તેમની નિષ્કલંકતાની પ્રતીતિ કરાવતા હતા .
 ઘણા વિચારશીલ દીર્ઘદ્રષ્ટા,અને તિવ્ર બુદ્ધિમત્તા ધરાવતા ઝાલાસાહેબ તમામ વિદ્યાર્થીઓના દિલમાં સ્થાન મેળવી ચુકેલા.
 ઝાલા સાહેબ તેવાજ સિદ્ધાન્તવાદી વ્યક્તિ હતા, સિદ્ધાંતના ભોગે કોઈ સમજુતી સાધવા તૈયાર નહી, ભલે તે લાભદાયી હોય, તેમના ધર્મપત્ની સ્વ, ચંદ્રીકાબેન મારાથી ઉમર માં સાત, આઠ વર્ષ મોટા, તેમણે અભ્યાસ છોડી દીધે ઘણા વર્ષો પછી જુનાગઢ આવીને આગળઅભ્યાસ કરવાનું વિચાર્યું, કોલેજપણ Regular કરવાના તેમના મત સામે સ્વ, ઝાલા સાહેબે સ્પસ્ટ સુચના આપેલી કે "જો તમે નિયમિતરીતે કોલેજે આવી શકવાના હો, તો જ Regular Student તરીકે અભ્યાસ કરવાનું વિચારજો, અનિવાર્ય સંજોગ સિવાય હું તમારી ગેરહાજરી કોઈ સંજોગમાં નહી ચલાવી લવું'"સ્વ. ચંદ્રીકાબેને તેની ખાતરી આપ્યા બાદ તેઓ Regular Student તરીકે કોલેજમાં જોડાયા . વર્ષ 1962/1963 માં સ્વ, ઝાલા સાહેબ B,A,ના વર્ગમાં અર્થશાસ્ત્ર ભણાવતા અને સ્વ.ચંદ્રીકાબેન વિદ્યાર્થી તરીકે અમારી સાથે બેંચ પર બેસી ભણતા.
 
ઈતિહાસ, અર્થશાસ્ત્ર, અને, રાજ્યશાસ્ત્ર ઝાલા સાહેબના મુખ્ય વિષયો હતા સૌમ્ય પ્રકૃતિ,અને બિલ્કુલ ગુસ્સો ન હોવા છતાં વર્ગમાં અખંડ શાંતિ જળવાઈ રહેતી, તોફાની વિદ્યાર્થીઓને વર્ગમા તોફાન કરવાની તક જ મળતી નહી, માત્ર તેમની સામે આંખ માં આંખ પરોવી ને થોડીવાર જોયાથી તોફાનીઓના તોફાન બંધ થઇ જતા.

 એપ્રિલ,1978, માં તેઓ કાર્યકારી પ્રિન્સીપાલ, અને ત્યારબાદ એપ્રિલ 1979, પ્રિન્સીપાલ તરીકે બઢતી પામ્યા, તે દરમ્યાન તેઓ બહાઉદ્દીન હોસ્ટેલના રેક્ટર પણ રહી ચુક્યા હતા.

ઘણાખરા કોલેજ હોસ્ટેલના વિદ્યાર્થીઓ એટલે અનિયંત્રિત સાંઢ, આવા માથાભારે, વિદ્યાર્થીઓના દરેક પ્રશ્નો દાદાગીરી, સામે ગાંધીગીરીથી ઉકેલી એક અનોખું નામ મેળવ્યું,

અર્થશાસ્ત્ર જેવા શુષ્ક, અને નીરસ વિષય ના નિષ્ણાત હોવા છતાં તેમની ભાષા, સાહિત્ય ઉપર ગજબ પકડ હતી 1962,મા કોલેજના વાર્ષિક મેગેઝીન "ગિરી-નિર્ઝર”માં તેણે લખેલી એક લધુકથા "વૈશાખે ખાલી કરી દેજો "સ્વ,ઝાલાસાહેબ ની હળવી વિનોદીવૃતિનો પરિચય કરાવે છે.

   આ તકે મને ઉમેરતા ગોઉરવ છે કે સ્વ, ઝાલા સાહેબના મોટાભાગના વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રોફેસર તરીકે નીમાયેલા,તેમના હાથ નીચે અભ્યાસ કરીચુકેલ ડો,અનિલ કિકાણી સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ની ઈતિહાસ વિભાગનાવડા,અને સિવિલ સર્વિસકોર્સના વ્યાખ્યાતા રહીચૂકેલ છે. તે સિવાય ગુજરાતના નામીકવિ,અને ગઝલકાર શ્રી.રાજેન્દ્રશુક્લ,ખ્યાતનામ,ટી.વી.એન્કર,ગઝલકાર,અને મુંબઈ પોદાર કોલેજના શિક્ષક સુરેન ઠાકર"મેહૂલ " (નીચેનીતસ્વીરમાં ડાબેથીબીજા),ગઝલકાર ગુલામ લાખાણી "શરર " BOB ના A.G M સતીષ વૈશ્નવ, મારા અને મહેશ બક્ષી ઉપરાંત અસંખ્ય બેન્ક મેનેજરો તેમનીપાસે ભણવા ભાગ્યશાળીબન્યા હતા.
 જેમ પ્રકૃતિ અને સ્વભાવ શાંત તેમ ઝાલા સાહેબની તબિયત પણ નાજુક, 1979,બાદ તેમનીતબિયત સારી ન રહેવાનેકારણે તેમણે 1980માં પ્રિન્સીપાલના હોદ્દેથી રાજીનામું આપીસ્વૈચ્છિક નિવૃત્તિ સ્વિકારી ભાવનગર સ્થિર થયા.

નિવૃત્તિપછી પણ સેવાકીય,અને સામાજિકપ્રવૃત્તિસાથે તેઓ લાંબોસમય સંકળાયેલારહ્યા.આવીપ્રવૃત્તિના ભાગરૂપે તેઓ ઈતિહાસપરિષદસાથે પણ જોડાયેલા, અને ઘણાપુસ્તકોનો અનુવાદ પણ કર્યો ઉપરાંત ભાવનગરનીકોલેજ,અને મહિલાકોલેજમાં માનદવ્યાખ્યાતા તરીકેપણ દીર્ઘકાલ સેવાઆપી.

.શૈક્ષણિક ઉપરાંત સામાજિક,અને વ્યવહારિકજીવનમાંપણ શ્રી ઝાલાસાહેબ,નખ-શિખપ્રમાણિક,અને સજ્જન હતા તે નિર્વિવાદવાત છે.

 માત્ર શૈક્ષણિકક્ષેત્રે જ તેમનુંયોગદાન હતું તેમપણ નથી, તેઓએ ભાવનગરની"ગાંધી સ્મૃતિ,", "સરદારસ્મૃતિ" ગ્રાહક સુરક્ષામંડળ ,અંધજનમંડળ,તેમજ રક્ત-પિતસંસ્થામાંપણ પોતાની અમુલ્યસેવા બક્ષીછે .

ના દુરસ્ત તબિયતને કારણે પોતાની કર્મભૂમિ ભાવનગરછોડીને 2004,માં તેઓ વડોદરા તેમનાપુત્ર સાથે રહેવાઆવ્યા,અને,તારીખ 28/08/2009,નારોજ તેઓ ટૂંકીબીમારી ભોગવી,ફાનીદુનિયાને અલબીદા .કરી,પરલોક સિધાવ્યા

ક્યારેક ફુરસદની પળોમાં વિચારુંછું ત્યારે એમ થાયછે કે, રાજ્યસરકારદ્વારા પ્રતિવર્ષ ઘોષિતથતા "શ્રેષ્ઠ શિક્ષક અવોર્ડ”થી આવા,સન્નિષ્ઠ,આદર્શ,અને સ્વચ્છપ્રતિભાધરાવતા શિક્ષકો કેમ વંચિત રહી જતા હશે ?

 પણ, હા, એપણ સાચું છે કે શ્રેષ્ઠ શિક્ષકનો અવોર્ડ મેળવવામાટે અનેક રાજરમત, કાવાદાવા, લાગવગ અને ઢોંગ, ધતિંગ કર્યાબાદ તેવી યાદીમાં સમાવેશ કરાવી શકાય છે, જયારે, સંત જેવું સાદું, પરમાર્થી, અને,પારદર્શીજીવન જીવનાર, સ્વ, ઝાલાસાહેબજેવાને તેવા સરકારી માનમરતબા, કે ઇનામ-અકરામ, ની ક્યાં પડીહતી? તેતો સાચાઅર્થમા માં.સરસ્વતીનાઉપાસક,અને,ઓલિયો હતા.

ગાંધીજી જેવો સુકલકડી, દુર્બળ દેહ, છતાં, અખૂટ ધીરજ,અડગ નિર્ણય શક્તિ,સતત વાંચન,અને ચિંતન તેનો ખોરાક,ચુસ્ત ગાંધીવાદી વિચારસરણી, અને આજીવન ખાદીધારી,સજ્જડ સિધાંતવાદી જ્ઞાન, અને તિવ્રબુદ્ધીનાસ્વામી,નિરભિમાની, મિતભાષી, અજાતશત્રુ,આનંદી, અને હસમુખા "ન ભૂતો ન ભવિષ્યતિ " તેવા ગુરુવર્યને આજના મારાજન્મદિને શબ્દાંજલિ અર્પી,વંદન કરૂ છું.


            Sweet Memory 
   
 Me,(Next to Shri ZalaSaheb) With 
 Respected Late,Shri Zala Saheb, 
 In theGroup Photo Of  B.A,Students(Economics & History Group)1962/1963.
Bahauddin College, Junagadh.( Saurashtra)

Thursday, 26 September 2013

* * * ટાલ * * *



ઈશ્વર દરેકને દરેક વસ્તુ હમેશા નથી આપતો અને મનુષ્યનો સ્વભાવ છે કે જે વસ્તુ તેને ન મળી હોય તેનો જબરો અસંતોષ અને વસવસો તેને રહ્યા કરે છે.
આ અસંતોષમાંથી ઈર્ષ્યા નામનો કીડો જન્મે છે તે કાયમ તેને કોતરી ખાતો હોય છે.
કેટલીક વસ્તુઓ ઈશ્વરદત્ત,ભાગ્યાધીન,અને પુર્વજન્મના સંચિતકર્મોના પુણ્ય રૂપે મળેલી હોય છે,જેમકે સંતતિ, સંપત્તિ,વિદ્યા, લક્ષ્મી,પ્રતિષ્ઠા,પત્નિ આ બધી( સ્ત્રીલીંગ)ભેટ સાથે ટાલનો પણ તેમાં સમાવેશ થાય છે. ખરેખર ટાલ એ કુદરતની પક્ષપાતી ભેટ છે જે સહુ ને સુલભ નથી.
મને બચપનથી જ ટાલ પ્રત્યે મમત્વ..ટાલ ધરાવતી વ્યક્તિઓને હું જોવું, ત્યારે મારામાં પણ ઈર્ષ્યાનો કીડો સળવળે અને મનમાં થાય કે ભગવાને બીજું કઈ ન આપ્યું હોત તો ચાલત, પણ એક ટાલ આપી હોત તો મારી પ્રતિભામાં ચારચાંદ લાગી જાત.
ઘેઘુર વડલાના ઝુંડ જેવા લાંબા મોટાવાળ અનિયમિત રીતે ખડની જેમ ઝડપથી થતી તેની ઉગની સુગ મને ખરી.
માથામાં તેલ નાખવું, અરીઠા શિકાકાઈ કે શેમ્પુથી તેને નિયમિતરીતે ધોવા, દર બે દિવસે ઓશિકાનું મેલું થયેલું કવર ધોવા કાઢવું ? ઓહો,,,, કેટલો ત્રાસ ?ઉપરાંત સવારે ઉઠતાવેંત અને વારેવારે દાંતિયો ફેરવી ને ઓળવા કષ્ટ દાયક પ્રોસેસ છે.
એટલેથીજ ન પતતું હોય તેમ, દર મહીને કે પંદર દિવસે "કેશ-કર્તનાલય" ની મુલાકાતે જવું અને એકાદ કલાક બગાડવો  ખરેખર મુશ્કેલ છે. વધારામાં જો સફેદ વાળ થયા અને સુંદર દેખાવામાટે થઈને ડાઈ કરાવવાનું નક્કી કરો તો બસ પૂરું થયું. કારણકે ત્યાં પણ ભેજાનું દહી જ કરવાનું હોય.વાળંદો બહુધા વાચાળ હોય છે ક્યારેક આપણને રસ પડે કે ન પડે પણ તેની જીભ, કાતરની સાથોસાથ ચાલતી રહે છે
મારોજ અનુભવ કહું તો મારો વાળંદ એન્સૈક્લોપીડીયા છે.કોઈ પણ ટોપીક પછી તે નાણાકીય, રાજકીય, સામાજિક, ફિલ્મી, વિજ્ઞાન,આરોગ્ય, તમામ બાબતોનો  ઝીણવટ ભર્યો અભ્યાસુ.
ગયે અઠવાડિયે હું વાળ કપાવવા ગયો, ખુરશી પર ગોઠવાયો, અને "પદમે (વાળંદ ને ગામઠી ભાષામાં પદમ  કહેવાય છે)કાતર હસ્તે ગ્રહણ કરતાજ પૂછ્યું " કાં ,સાહેબ, જોયું ને ? આં આપણી સરકાર "ઓલ્યા સચિને સત્તરવર્ષની ઉમરથી બેટ વડે દડો ટીચ્યા કર્યો, કેટલીયે વાર સ્નાયુ ખેંચાઈ ગયા પણ ભારત-રત્ન ઓલ્યા ધ્યાનચંદને આપવાની "
મેં કહ્યું હશે પણ મને રમતગમતમાં રસ નહી એટલે એવા સમાચાર હું ન જોઉં"પણ મારો ટપ્પો પડવા દે તો વાળંદ શાનો? બીજું શરુ કર્યું "સાહેબ, તમને નથી લાગતું કે રાજેશ ખન્ના સફળતા પણ ન પચાવી શક્યો, કે નિષ્ફળતા પણ ન પચાવી શક્યો ?" તત્વજ્ઞાનીની ચિંતાના ભાવથી તેણે મને પૂછ્યું
મેં જવાબ ટૂંકમાં દીધો કે"બધું ભાગ્યાધીન છે" થોડીવારે નવું શરુ કર્યું " મને તો એમ લાગે છે કે મંદ મોહનહવે જશે, અને આપણા મોદીસાહેબ દેશ સુધારશે "
સચિવાલયમાં મોદીના અંગત પટાવાળા તરીકે નોકરી કરી આવ્યો હોય તેમ મોદીની લાક્ષણિકતા પર બોલવું ચાલુ કર્યું આમ કરતા કરતા માંડ વાળ કાપવાનું પૂરું થયું, અને મેં કહ્યું કે"હવે દાઢી હું ઘેર કરી લઇશ "એટલું બોલી મેં પીછો છોડાવ્યો પણ તે ક્યાં સુધી ? દરમહીને આ ચેનલ એક કલાક માટે તો ફરજીયાત ?
આવા સમયે મને ટાલિયાઓ યાદ આવી જાય અને આંખમાંથી બે અશ્રુબિંદુ સરી પડે .
કેટલા ભાગ્યશાળી છે તેઓ જે ટાલ ધરાવે છે અને તેથી જ આપણા માં કહેવત હશે કે
 "ટાલિયો નર કો દુખીહવે તમેજ ક્હો ઉક્ત પરેશાની ભોગવતા મને ઈર્ષ્યા થાય જ ને ?
આમ પણ ટાલ મને પ્રિય,ટાલિયા કલાકારોને જોવા મેં અનેક પિક્ચર બહુ વખત જોયા છે
"અભિમાન"અને "ગોલમાલ "(અમોલ પાલેકર,બિંદીયાગોસ્વામી) ફિલ્મમાં ડેવિડની ટાલ અને ગાલ , અહ્હ્હા કેટલાઅદભૂત ! ઉંધી મુકેલી માટલી જેવી લીસ્સી ટાલ,અને ફ્રુટની દુકાને ગોઠવેલ કાશ્મીરી સફરજન જેવા લાલગાલ જોવાજ મેં ચાર વાર ચિત્ર જોયું। "જાદુગર" પિક્ચર બંડલ તેમાં જાદુ ના ખેલ સિવાય બીજું કશું નથી, અને તેવા જાદુના ખેલ રજતપટપર જોવા કરતા સ્ટેજપર સન્મુખ જોવા વધુગમે,પણ ના,… હું અમરીશપુરીના ગુરુજીના પાત્રની ટાલ જોવા તે ચિત્ર સાત વાર નિહાળ્યું એ.કે.હંગલ ની ટાલ જોવાનું હું ક્યારેય ચૂકતો નથી.
મહેમુદની ટાલ જોવા મેં "પડોશન "પણ અસંખ્ય વાર જોઈ નાખ્યું મતલબ, ટાલ પ્રત્યે નું મમત્વ,અને વળગણ છે.
 ટાલ તો વ્યક્તિની શાન છે, તેમાં નીખરી આવતું વ્યક્તિત્વ પણ જુદુજ છે.
                                                           

એમ કહેવાય છે કે ટાલિયા નર પ્રત્યે સ્ત્રીઓ વધુ આકર્ષાય છે.ઉદાહરણ રૂપે કહું તો પંડિત નહેરુના શારીરિક દેખાવ અને વ્યક્તિત્વમાં જો ટાલ ન હોત તો તે "ઝીરો પર્સનાલીટી"હતા તેના ચહેરા,દેખાવ, કે આકૃતિ બિલકુલ મોહક ન હોવા છતાં એડવીના માઉન્ટબેટન જેવી રૂપસુંદરી પણ નહેરુની ટાલ પર ફિદા થઇ ગઈ હતી. ટાલનો તાલ જામ્યો ,અને ઈશ્કનો રંગ ચડીગયો, આસારામ બાપુ, જુવો, કેટલીએ સુંદર યુવતીઓ સામેથી તેની સેવાદાર થઇ "સમર્પિત " થવા માટે તત્પર છે, આ બાપુ ના પ્રભાવ કરતા તેની ટાલ નાં પ્રભાવ નું કારણ છે.
દરેક ફાયદાને પણ ગેરફાયદા હોય છે તેમ ટાલ બાબતેપણ છે.
તે નિશંક વાત છે કે બાલ એ ટાલની ઢાલ છે તેથી ટાલ ધરાવતા જનોએ ચોમાસામાં વરસાદથી, ઉનાળામાં તાપથી, અને શિયાળામાં ઠંડીથી ચેતવું પડે એટલુજ નહી, પણ કોમી હુલ્લડો અને તોફાનના સમયે, પથ્થર મારાથી, લાઠીચાર્જ,થી વધુ સંભાળવું પડે, તેમ છતાં એવા નાના ભય સામે ટાલના ફાયદાઓ વિચારતા ટાલ એ ભવ્ય વ્યક્તિત્વનું એક જમા પાસું છે.આટઆટલા ફાયદા હોવા છતાં મને નથી સમજાતું કે કુદરતની આ બક્ષિશ તેમાંના ઘણાને કેમ નથી ગમતી ? ઘણા ટાલિયાજન કૃત્રિમ બનાવટના વાળની વિગનો મોહ રાખી ધરાર દેવાનંદ થવાજાય છે. કેટલાક લોકો જુદી જુદી જાતના મોંઘાભાવના આયુર્વેદીક કેશ વર્ધક તેલ નો ઉપયોગ કરે છે. મને સમજાતું નથી કે વાળ જેવી તુચ્છ,અને મામુલી ચીજ માટે આટલું મમત્વ,કે વળગણ શા માટે ? ખરેખર દુનિયામાં જેને નથી અને ન હોય તેને તો અસંતોષ હોય પણ જેને છે તેને બેવડો અસંતોષ હોય છે તેઓને નવા કેરમ બોર્ડ પર છાંટેલા શંખજીરા જેવી લીસ્સી ટાલની કદર નથી ,,,, અફસોસ
મને તો એમ પણ વિચાર આવ્યો કે વિશ્વમાં કદાચ 30 થી 40% ટાલ ધરાવતા નાગરિકો હોય તો જેમ, Father 's Day , Mother's Day , Friendship Day,ઉજવાય છે તેમ શા માટે "TALIA 'S DAY ન ઉજવાય ?

Tuesday, 24 September 2013

* વૈકુંઠ દર્શન *

કેન્દ્રીય કારાગાર મુખ્યપ્રવેશદ્વાર
કેન્દ્રીય કારાગારજોધપુર 










 કહેવાય છે કે "પોલીસ,પોલિટીશિયન,અનેપ્લીડર(વકીલ)ની દુશ્મની સારી નહી", તેમ તેઓની દોસ્તી પણ બહુ સારી નહી.તેમ છતાં મારા થોડા મિત્રો પોલીસખાતામાં અને પ્લીડર પણ ખરા.જોધપુરસેન્ટ્રલ જેલના જેલર મારા મિત્ર,તે નાતે જોધપુરના શિવ મંદિર રોડ ખાતે આવેલી રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલજેલ ખાતે તેમને મળવા જવાનું થયું
મને થયું લાવ ને અહીં સુધી આવ્યો જ છું, તો સંત શિરોમણી પૂ આશારામબાપુના પણ દર્શનનો લાંભ લઇ લઉ .જેલરને વિનંતી કરવાથી બાપુના દર્શનનો લાભ તેમણે મને અપાવ્યો
                ઘટાટોપ વૃક્ષોની લીલીછમ બન્ને બાજુની હારમાળા વચ્ચે તોતિંગ લોખંડી દીવાલ,અને શશસ્ત્ર  ચુસ્ત પોલીસ પહેરાથી સુરક્ષિત કેદીઓની ઓરડીઓ તરફ આગળ વધ્યો.એક, બે,ત્રણ એમ કરતા જમણી બાજુની હરોળમાં છેલી બેરેક કે જે "બેરેક નંબર 1 "તરીકે ઓળખાય છે ત્યાં પૂજ્ય બાપુનો મુકામ હતો
બેરેકના દરવાજા નજીક પહોચતાં જ કેસર-ચન્દન મિશ્રિત અગરબત્તીની ધુમ્ર- શેરથી વાતાવરણ સુગંધિત અને પવિત્ર લાગતું  હતું
બાપુ વૈકુંઠ માં
. બેરેક માંથી ધીમા સ્વરે ભજનની પંક્તિ બાપુના મુખે સાંભળી,
"મારું વનરાવન છે રૂડું, વૈકુઠ નથી રે જાવું " ભજન ની આખરી પંક્તિ પૂરી કરી બાપુ સ્વ-સ્થાને બિરાજ્યા
બાપુને પ્રણામ કરતા જ હું બેરેક માં પ્રવેશ્યો , ઓહો,,,,, બાપુ ને જોઈને હું વિસ્મય પામ્યો, ક્યાં એ સાબરમતીના આશ્રમમાં હસતા, કુદતા બાપુ, અલમસ્ત શરીર, અને યુવાની છલકતી  હોય તેવા ઉછળકૂદ કરતા બાપુ, અને ક્યાં, એ દુર્બળ દેહ, શ્યામ મુખારવિંદ,આંખો નીચે કાળા કુંડાળા, ભય  ચિંતા,અને ઉજાગરાને કારણે અમેરિકન બદામ જેવા આંખ નીચે કરચલીવાળા ડોડવા ક્યાં રજવાડાને ઝાંખી પાડતી એ સાહ્યબી અને ક્યાં સામાન્ય કેદીનું  જીવન ?બાપુ એક દિવસ ફૂલના હિંડોળે ઝુલતા હતા, વિશાલ શયનખંડમાં મોટા પલંગ પર મખમલના ગાદલા પર સુવા ટેવાયેલા,શયનખંડમાં પેરીસ, અને સ્વીટ્ઝરલેન્ડના મોટામસ ઝુમરો,દીવાલ ઉપર મોટું એલ,સી,ડી, વોલ ટુ  વોલ લીલા રંગની મખમલની કાર્પેટ,આગંતુકો ને બેસવા માટે રજવાડી સોફાસેટ, 
સવારના નાસ્તામાં કાજુ-બદામ,અને અખરોટ,સાથે થોડા ફ્રુટ્સ અને કેસર -પીસ્તા નાખેલું સોનું (Gold ) ઉકાળેલું શક્તિવર્ધક દૂધ,ભોજનમાં લિજ્જતદાર,સ્વાદિષ્ટ  ચટપટી રસોઈ,અને બે-ત્રણ"સમર્પિત "મહિલા સેવિકાઓની કંપની  સાથેની જમાવટ અને ક્યાં સવારના નાસ્તામાં મળતા વઘારેલાપૌવા,અને સરાડિયા સ્ટેશન પર મળતી ફિક્કી,પાણી જેવી ચા .
અને ભોજનમાં અર્ધી કાચી-પાકી,ચામડા જેવી મોટી અને જાડી રોટલી, પાણીજેવી, તીખીઆગ દાળ, શાક અને પરિમલના જાડા ચોખા,
પચ્ચીસ દિવસમાં બાપુના મોઢાનું તેજ ઝંખવાઈ ગયું લાગ્યું . કોઈ કવિની પંક્તિ મને યાદ આવી "એક સરખા દિવસ કોઈના
સુખના જાતા નથી " 
વાત ની શરૂઆત કરતા મેં પૂછ્યું " બાપુ કેમ છો ?" બાપુ નિરાશ વદને ભાંગ્યા અવાજે બોલ્યા "
" બસ,,, દિવસો પસાર કરું છું , હવે તો હરિ કરે તે ખરી "
મેં પૂછ્યું બાપુ તમારા જેવા પવિત્ર સંત ઉપર યૌંનપીડાનો આક્ષેપ એ ખરેખર હિંદુ સસ્કૃતિને હલ્કી પાડવાનો પ્રયાસ નથી ?, બાપુ કાકચીયા જેવી આંખો પહોળી કરતા બોલ્યા," બસ, એમ જ છે ,હું જાણું છું કે દિલ્હીના મેડમ, અને તેના સુપુત્રનું આ કાવતરું જ છે ,શું હું આ ઉમરે નાબાલિક કન્યા સાથે તેવું કરું ખરો ?સ.પા. ના રાજસ્થાનના મંત્રી બાબુલાલ નાગરે શું કર્યું ? 85 વર્ષ ની ઉમરે પહોંચેલ યુ,પી,ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારી એ  શું કર્યું હતું ? તેણે તો નોકરી આપવાની લાલચે યુવતીનું શારીરિક શોષણ કરી, અને ગર્ભવતી બનાવી હતી. એ બધા દુધે ધોયેલા,તો શું હું કોલસે ઘસાયેલો ? "મંત્રીઓ કરે તે લીલા, અને રાષ્ટ્રીય સંત કરે તે "દુષ્કર્મ " ? તેઓ મંત્રી હતા, એટલે તેઓનું કઈ બગાડી ન શક્યાં ,અને હું રહ્યો બાવો એટલે મારીપાછળ પડીગયા, અરે,મારી શિષ્યા,કે જેણે મારીપાસે દીક્ષા લીધી છે, મારા ગુરુકુળમાં અભ્યાસ કરેછે, તે બાળા ઉપર મારો કોઈ જ અધિકાર નહી? એકાંતવાસમાં મેં તેની સાથે થોડી છૂટ લઈ શારીરિક મસ્તી કરી એટલે દુષ્કર્મ કર્યું કહેવાય ? હવે તો જેલમાં પણ ત્રાસ સહન નથી થતો પણ છ મહિનામાં સરકાર બદલાવવા દ્યો, પછી જુવો મજા. 
બાપુ, હમણાં તમે ભજન ગાયું તેમાં બોલ્યા કે "વનરાવન છે રૂડું વૈકુંઠ નથી રે જાવું"  તો જેલને તો તમે વૈકુંઠ કહેતા હતા,તો વનરાવન કયું ? બાપુએ મુછ માં હસતા કહ્યું "વાત સાચી છે. મને વી.વી.આઈ.પી.નો દરજ્જો મળેલો છે તેથી હું એમ માનતો હતો કે જેવી અને જેટલી સુવિધા મારા આશ્રમમાં મને મળે છે, તે અને તેવી સુવિધા મને અહીં જેલમાં પણ મળશે તેથી મેં મારા ભક્તોને સત્સંગમાં કહ્યું હતું કે " જેલ તો મારે મન  વૈકુંઠ છે,પણ આતો સામાન્ય માણસ/કેદી જેવો વર્તાવ મારી સાથે જોતા હવે મને લાગે છે કે મારું વનરાવન (છિન્દવાડાનો આશ્રમ) સારું છે મેં હસતા કહ્યું " હા, એ સાચું. વનરાવનની કુંજ ગલ્લીઓ (સાધના-કુટીર) અહીં તો ન જ હોય ને ?,જવાબ માં બાપુ મલક્યા
બાપુએ વાતને વળાંક આપતા કહ્યું "અહીં મારો દિવસતો નીકળી જાયછે,પણ રાત્રી મારા માટે " કાળરાત્રી"


બાપુના રક્ત -પિપાસુ મચ્છરો
 બની રહે છે. મચ્છરોનો ત્રાસ પણ આ સરકારથી અને પોલીસ ખાતાથી ઓછો નથી. દિવસ આખો મારી લાંબી દાઢીમાં છુપાઈ રહે છે અને રાત્રે શક્તિવર્ધક ઔષધિઓ ખાઈને બનાવેલું લોહી ચૂસે છે અને સતત ડંખ મારે છે હું તેમ પણ થાક્યો છું તેને કારણે રાત્રીની ઊંઘ હું નથી કરી શકતો.
એટલુજ નહી પણ મને લગભગ 14 વર્ષથી
 "ત્રિનાડી શૂળ"નામની બીમારી છે, તેના ઉપચાર માટે મારી અંગત મહિલાવૈદ્ય,નીતાને પણ રોજ બે-ત્રણ કલાક મારી સારવારમાટે કારાવાસ માં મોકલવા વિનતી કરી છે.પણ હવેતો એવું બને છે કે, હું જે પણ કઈ બોલું તે તપાસનો મુદ્દો બની જાય છે. અને મીડિયાવાળા ફાવે તેમ ઉછાળે છે.પહેલા મારા દર્દની,પછી નીતાવૈદ્યની,ત્યારબાદ મારા ઔષધ"પંચેડબુટ્ટી"આમ વધુને વધુ હું ફસાતો જાઉં છું અને એટલેજ મારીપ્રિય મહિલાવૈદ્ય વંદનાનું તો મેં નામ જ નથી લીધું,
બાપુ,તમને નથી લાગતું કે સેવાદાર શિવા,રસોયો પ્રકાશ,અને આશ્રમના ડીરેકટર,શરદચંદ તમારી વિરુદ્ધની પુછપરછમાં બધી પોલ ખોલશે ?મેં સહજ ચિંતાભાવે બાપુને પૂછ્યું
જમણા હાથે પોતાનીઆંખ ચોળતા બાપુ બોલ્યા"હા, હું જાણું છું તેમજ થશે કમનસીબે મને અહીં ટી વી, જોવા નથી મળતું,પણ છાપામાં હું વાંચું છું મારુ જ ખાનારા મારું ખોદશે,
ફિલ્મ" ત્રિશુલ"નો સંજીવકુમારનો ડાયલોગ બોલતા બાપુએ કહ્યું "જબ જહાજ ડુબને લગતા હે,તો ચૂહે સબસે પહેલે છોડકર ચલે જાતે હે,પર ઇનકો પતા નહી હે,કી યે જહાજ કભી ભી ડૂબને વાલા નહી હે "
હું એ પણ જાણું છું કે પૂ.બાપુ એ ઉમેર્યું"અતિ વિશ્વાસ પસ્તાવાનું કારણ બને છે,અંધારામાં માણસનો ખુદનો પડછાયો પણ તેનો સાથ છોડીદે છે.તોપછી આતો મારા પગારદાર સેવાદારો છે ? અત્યારે મારો અંધકાર યુગ ચાલે છે "કેદીના આત્મામાંથી રામ બોલ્યો તેણે ઉમેર્યું કે કેટલીક
મીડિયાચેનલો સત્તત પાછળ પડી ગયેલી છે પણ અગાઉ મેંકહ્યું તેમ હું "બટકું નાખવાવાળો નથી 'એક નવી ચેનલ તો સતત પોતાનો T.R.P વધારવામાટે પ્રાઈમ ટાઈમ સ્ટોરી બનાવી ચલાવે છે. પણ આવા કેટલાયે "ચોરસીયાઓ'ને મેં ત્રિકોણીયા બનાવી દીધા છે.

 બાપુ, તમે ધર્મરક્ષક છો,દેશની સસ્કૃતિના ધરોહર છો,સમાજનું દર્પણ છો,યુવાચારિત્ર્યના ઘડવૈયા છો લાખો ભક્તોના આપ આદર્શ છો.ગરીબોના બેલી છો,અનાથના નાથ છો,દીન-દુખીયાનો સહારો છો   આમ જુવો તો આપના અને ગાંધીજીમાં બહુ ફેર નથી
ગાંધીજી પણ આપની જેમ બાપુના લાડીલા નામથી જાણીતા હતા. આપ પણ સંત છો, અને ગાંધીબાપુ પણ રાષ્ટ્રીય સંત કહેવાતા બન્નેના આશ્રમો અમદાવાદમાં ગાંધીબાપુના આશ્રમનું નામ "સાબરમતી આશ્રમ"જયારે આપનો આશ્રમ સાબરમતીના તટ ઉપર વસેલો,ગાંધી બાપુએ અસત્ય સામે બુંગીયો  ફૂંક્યો અને કારાવાસ વેઠ્યો,આપે સત્ય અને ન્યાય માટે કારાવાસ વેઠ્યો,તેમ છતાં હું એમ માનું છું કે આપ ગાંધીબાપુથી એક મુઠ્ઠી ઊંચારહેશો"બાપુની હેસીયત નો અહેસાસ કરાવતા મેં કહ્યું.
બાપુએ હળવા સ્મિત સાથે પૂછ્યું "ઈ.. કેમ ?"
મેં જવાબ વાળ્યો ગાંધીજી, વિનોબા, અને ટીળક ત્રણે જણાએ પુનાની યરવડામાં જેલવાસ કર્યો,પરંતુ પ્રજાને,સરકારને,કે ખુદગાંધીજીના પ્રપોત્ર તુષાર ગાંધીને ખબર નથી,કે બાપુ કઈ બેરેકમાં હતા ?નથી તેમની સ્મૃતિમાં કોઈ બેરેકને નામ અપાયું,પણ મને એમ લાગે છે કે આપ કારાગૃહમાંથી મુક્ત થશો ત્યારબાદ "બેરેક નંબર 1 "વૈકુંઠ" અથવા તો ધ્યાન કુટીર,કે એકાંતવાસથી ઓળખાશે, 

 ખુદ આજ બેરેકમાં સલમાનખાન,અને રાજસ્થાનના એકમંત્રીશ્રી પણ રહીચુક્યા છે છતાં આબેરેક નું નામ "દબંગ"કે "બોડીગાર્ડ'નથી અપાયું,
બાપુ મરક્યા,અને બોલ્યા કે હવે તો ભગવાન ઉપરથીપણ શ્રદ્ધા ઉઠતી જાયછે,મને ભગવાન રામમાં શ્રદ્ધા નથી પણ હાલ રામ મારો ભગવાન છે, અને તેમને નિર્દોષ બચાવી લેશે તેટલો વિશ્વાસ છે.

  તમે રખે એમ ન સમજતા કે રઘુવંશી રામની હું વાત કરું છું, હાલતો રામ જેઠમલાણી જ મારો ભગવાન રામ છે .
આટલીવાત થતાજ, બાપુને ભોજનનો સમય થતા જેલસત્તાવાળાઓએ ઘંટડી વગાડી,બાપુ એક હાથમાં થાળી,વાટકો,અને,પાણીનું પવાલું,તથા બીજા હાથે પોતાનું ઢીલું ધોતિયું સંકોરતા,ભોજનમાટેની કેદીઓની લાઈનમાં ઉભારહેવા દોડી ગયા.
          સફાળો "જાગી ને જોઉં તો ..... મારા શયનખંડના ટેબલપર પડેલી ઘડિયાળનો એલાર્મ ગુંજતો હતો,.ઘડીયાલ સવારના છ વાગ્યાનો સમય બતાવતી હતી.ઘરના મંદિરમાં પેટાવેલી કેસરચંદન મિશ્રિત ધૂપસળીની ધુમ્રશેરથી મારો શયનખંડ સુવાસિત થઈ ગયો હતો .અને "આસ્થા" ચેનલ પરથી ભદ્રાયુભાઈના સ્વરમાં ભજન ચાલતું હતું,"કોઈ લાખ કરે ચતુરાઈ,કરમ કા લેખ મીટે ના રે ભાઈ" 

Wednesday, 5 June 2013

સ્વ,જ્યોતિ (જન્મા) ને શ્રદ્ધાંજલિ,



સ્વ,શ્રીમતી જ્યોતિ (જન્મા)વ્યોમેશ ઝાલા,

જન્મ:--         મહાશિવરાત્રી,1947.
નિર્વાણ:--  ભીમઅગિયારશ 1979
   માત્ર દશજ વર્ષના દાંપત્યજીવન પછી,
   માત્ર બત્રીશવર્ષની,ભરયુવાનવયે,ચોત્રીસવર્ષ
   પહેલા,આજતારીખે,એટલેકે તા,06/06/1979.નારોજ,
   પરલોક સીધાવનાર એ પુણ્યાત્માને  હૃદયાન્જ્લી.
      ,,,,,, વ્યોમેશ વિનુભાઈ ઝાલા, અને પરિવાર.
                                           તા,06/06/2013,